આજે અમારી 38મી લગ્નતિથિ !
બુધવાર, 23 મે, 2012
શનિવાર, 19 મે, 2012
નિરર્થક કાગારોળ
નિરર્થક કાગારોળ
સુર્યથી પૃથ્વીનું
જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે
મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે
વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ
નાગરિકને વિચારતો કરી મૂકે.
શુક્રવાર, 11 મે, 2012
છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ
જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.
(ભારત દેશમાં નારી શક્તિના
અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા
બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)
શુક્રવાર, 4 મે, 2012
પડછાયાની કરામત!
બાળપણમાં ફાનસના અજવાળે હાથની જુદી જુદી મુદ્રાઓથી ભીંત પર કૂતરો, ઊડતું પક્ષી વિ.ના આકારના પડછાયા પાડતા. મને ખાત્રી છે કે તમે સહુ આ રમત રમ્યા હશો.
શુક્રવાર, 27 એપ્રિલ, 2012
નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?-સિક્કાની બે બાજુ
ગત સપ્તાહે મારી પોસ્ટ “આપ શું વિચારો છો?-6 નોકરિયાત સ્ત્રીઓ સુખી હોય છે?” મુકતી વખતે મારા સ્વાનુભવના એક-બે
પ્રસંગ લેખને ટુંકાવવા મુક્યા ન હતા. જે અહિં મુક્યા છે.
શુક્રવાર, 20 એપ્રિલ, 2012
આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?
ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.
કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે
છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય
પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની
મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?
શુક્રવાર, 13 એપ્રિલ, 2012
આત્માનો વિલાપ
(આપણે વાલિયા લુંટારાની વાત વર્ષોથી-સદીઓથી સાંભળતા આવ્યા છીએં.
જેમાં એક ખૂંખાર લૂંટારાનો હૃદયપલટો થાય છે. આધુનિક યુગમાં આ વાત અસંભવ લાગે. પરંતુ
આ સદીમાં જ એક પરદેશી અપરાધી ભારતીય પરિવારની પારંપારિક સત્કાર ભાવના અને સહૃદયતાની
સુવાસથી સંત તો નહિ પણ સજ્જન જરૂર બની શક્યો.
થોડા સમય પહેલાં મશહૂર એંકર ઑપેરાહ વિન્ફ્રે
જોડે ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ ભારત આવેલ. ગ્રેગરી ડેવીડે આત્મવૃતાંત્મક અંગ્રેજી
મહાનવલકથા “શાંતારામ” લખી છે. અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતા હોવ તો
આ પુસ્તક જરૂર વાંચશો. આ વાર્તાનો એક નાનકડો પરિચ્છેદ મને ખૂબ ગમ્યો. આ નાનકડા પ્રસંગથી ઓસ્ટ્રેલિયાની જેલ તોડીને ભાગેલા અને મુમ્બઇ આવી પહોંચેલા એક રીઢા ગુનેગારના દિલમાં ભારતીય
પરંપરા અને આતિથ્ય ભાવનાથી માનવતાનાં અંકુર રોપાય છે! એક અપરાધીની જીંદગીને ભારતીયતાનો રંગ કેવી રીતે પલટાવે છે! તેનું તાદૃશ વર્ણન આ પ્રસંગમાં છે. મને થયું, આપ સહુ
જોડે (તેનો અનુવાદ) શેર કરૂં. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર આ અનુવાદ કરવાની અને લેખ "વાર્તાલાપ" પર exclusively પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સના એજંટ રીગલ લીટરરી નો આભાર!)
શુક્રવાર, 6 એપ્રિલ, 2012
દાદ તો આપે
(એકવાર ભીની આંખો એ
દિલ ને ફરિયાદ કરી કે "આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"
દિલે
હસતાં હસતાં જવાબ આપ્યો,” સપનાં કોણે જોયાં હતાં?” ) પછી આંખો એ શું કહ્યું........?
શુક્રવાર, 30 માર્ચ, 2012
ભજમનનાં ભોળકણાં-12 છપ્પા
છપ્પા
શુક્રવાર, 23 માર્ચ, 2012
છૂના હૈ આસમાન - 4, અનિતા નૈરે
'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં
અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે એવી એક હિંમતવાન ભારતીય આદિવાસી યુવતી અનિતા નૈરે ના દ્રઢ મનોબળને
નમન કરશું!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)