લેબલ શિરીષ દવે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શિરીષ દવે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 9 માર્ચ, 2012

આપ શું વિચારો છો? - 5 પૈસો શું કરી શકે છે?

("આપ શું વિચારો છો?"  શ્રેણીમાં સામ્પ્રત સમાજના સળગતા પ્રશ્નોની છણાવટ કરીએ છીએ. આવી જ એક સળગતી પરિસ્થિતિ વિષે મારા મનમાં ચાલતા ઉકળાટને શ્રી શિરીષભાઇ દવેએ એક મનનીય લેખમાં  શબ્દદેહ આપ્યો છે જે ટુંકાવીને તેમની પરવાનગી સાથે સાભાર અહિં પ્રસ્તુત છે.


ગોધરા હત્યા-કાંડને  એક દશકો વીતી ગયો. પરંતુ હજુ તેનાં ડાકલાં વાગતાં બંધ નથી થતાં. હિંદુ, મુસ્લિમ કે કોઇ પણ મનુષ્યોની ધર્મના ઝનૂન હેઠળની કત્લેઆમ નીંદનીય જ છે. અને નિર્દોષ માનવોની જાનહાની દુ:ખદાયક છે. પરંતુ એ લાશો પર પોતાનો પાપડ શેકવાની રીત તો જઘન્ય અપરાધ છે.કમનસીબે કોંગ્રેસ પક્ષ અને તેના મળતિયા અને પુરસ્કૃત સંગઠનો આજે આ કામગીરીમાં આદુ ખાઇને પડ્યા છે.-ભજમન.)