લેબલ સંવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સંવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 19 મે, 2012

નિરર્થક કાગારોળ


નિરર્થક કાગારોળ

સુર્યથી પૃથ્વીનું જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ નાગરિકને વિચારતો કરી મૂકે.

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?

ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.

કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?

શુક્રવાર, 9 માર્ચ, 2012

આપ શું વિચારો છો? - 5 પૈસો શું કરી શકે છે?

("આપ શું વિચારો છો?"  શ્રેણીમાં સામ્પ્રત સમાજના સળગતા પ્રશ્નોની છણાવટ કરીએ છીએ. આવી જ એક સળગતી પરિસ્થિતિ વિષે મારા મનમાં ચાલતા ઉકળાટને શ્રી શિરીષભાઇ દવેએ એક મનનીય લેખમાં  શબ્દદેહ આપ્યો છે જે ટુંકાવીને તેમની પરવાનગી સાથે સાભાર અહિં પ્રસ્તુત છે.


ગોધરા હત્યા-કાંડને  એક દશકો વીતી ગયો. પરંતુ હજુ તેનાં ડાકલાં વાગતાં બંધ નથી થતાં. હિંદુ, મુસ્લિમ કે કોઇ પણ મનુષ્યોની ધર્મના ઝનૂન હેઠળની કત્લેઆમ નીંદનીય જ છે. અને નિર્દોષ માનવોની જાનહાની દુ:ખદાયક છે. પરંતુ એ લાશો પર પોતાનો પાપડ શેકવાની રીત તો જઘન્ય અપરાધ છે.કમનસીબે કોંગ્રેસ પક્ષ અને તેના મળતિયા અને પુરસ્કૃત સંગઠનો આજે આ કામગીરીમાં આદુ ખાઇને પડ્યા છે.-ભજમન.) 

શુક્રવાર, 29 એપ્રિલ, 2011

આપ શું વિચારો છો ? - 4

ભ્રષ્ટાચારનું મૂળ.

આજકાલ અણ્ણા સાહેબે ઊભા કરેલા ભ્રષ્ટાચાર સામેના ઝંઝાવાતે ઘણાને હચમચાવી દીધા છે, તો ઘણાને વિચાર કરતા કરી મૂક્યા છે. ભ્રષ્ટાચાર અનિષ્ટ છે, અનિચ્છનીય છે અસ્વીકાર્ય છે. છત્તાં સર્વવ્યાપી છે ! ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે કે જેણે જીવનમાં થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારનું આચરણ ન કર્યું હોય. કદાચ તમને આમાં અતિશયોક્તિ લાગે પણ કમનસીબે આ એક વાસ્તવિકતા છે. તો શું આપણે ભ્રષ્ટાચારને સ્વીકારી લેવો ? અણ્ણા સાહેબ અને તેને સાથ આપનારા લોકો પાગલ છે ? ના, ના અને ના. જે રીતે આ ચળવળને પ્રતિસાદ સાંપડ્યો છે તે પરથી આ બાબત તો ફલિત થાય છે.

શુક્રવાર, 2 જુલાઈ, 2010

સાંઠ પછી...

દેવ આનંદ   

ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.     –શ્રી વિશ્વદીપ બારડ.

શુક્રવાર, 16 એપ્રિલ, 2010

પાથરણાં પરિષદ - 1 હાઉસવાઇફ

 






                                                                               





પાથરણાં પરિષદ - 1 'હાઉસવાઇફ'

(આ પરિસંવાદમાં ભાગ લેનારાં બધાં પાત્રો કાલ્પનિક છે અને તેને કોઇ જીવંત કે દિવંગત વ્યક્તિ કે આત્મા સાથે કે ઉપરની તસવીરો સાથે કોઇ સંબંધ નથી.)

ન્યુઝીલેંડનો લાંબામાં લાંબો બીચ એટલે “લોંગ બે” નો દરિયા કિનારો, મેઘ-વિહીન, શ્વેત અને શાંતોજ્વળ દિવસ, અને ઈસ્ટરની રજાઓ! થોડાં ગુજરાતી કુટુમ્બો ‘લોંગ બે’ પર યાંત્રિક મંગાળાની (બાર્બેક્યૂ ) મોજ માણવા પહોંચી ગયાં. અહિં પરદેશમાં રિવાજ એવો કે બાર્બેક્યૂ પર પુરુષો જ રાંધે અને મહિલાઓ ગરમ ગરમ ડીશો ઝાપટે! સાથે અલકમલક ની વાતો, ગીતો, રમતો ચાલુ હોય! આમ તો બાર્બેક્યૂની ખરી મજા માંસાહારી વાનગીઓ અને આલ્કોહોલ (ડ્રીંક્સ) હોય તો આવે. અહિં તો બધા શાકાહારી અને દારૂબંધી વાળા ગુજરાતીઓ છે. ચાલો આપણે પણ એમાં અદ્રષ્ટ રહીને શ્રોતા થઇએ! આપણે તેમની વાનગીઓમાં ભાગ નહિ પડાવીએ!

શુક્રવાર, 5 માર્ચ, 2010

આપ શું વિચારો છો ? - 3 જન્માક્ષરમાં માનો છો?

( આજની અતિથિ કૃતિના લેખિકા છે  હિરલ શાહ. અમદાવાદમાં જૈન કુટુમ્બમાં જન્મ-ઉછેર અને  IT ક્ષેત્રનું ઉચ્ચ ભણતર મેળવી લગ્ન પછી IT પ્રોજેક્ટ કાર્ય માટે Leeds UKમાં એક વર્ષથી રહે છે. તેમના શબ્દોમાં કહું તો સરળ, મહત્વાકાંક્ષી અને રચનાત્મક રૂચી ધરાવતી યુવતી. યુ.કે.માં રહેવા છતાં આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિનો અમુલ્ય વારસો અને જૈન સાહિત્ય તથા અમદાવાદ પ્રત્યે અપાર પ્રેમ છે. લખવાનો શોખ છે. અંગ્રેજીમાં પોતાનો બ્લોગ છે. આ લેખ મોક્લવા બદલ હિરલનો ખૂબ આભાર. તેમનો સંપર્ક ઇ-મેલ hiral.shah.91@gmail.com પર કરી શકો છો. - ભજમન )

જન્માક્ષર માં માનવું કે નહિ?  - હિરલ શાહ


જન્માક્ષર માં માનવું કે નહિ?  મારા મતે 2 લોજિક મેં અત્યાર સુધી ઓબ્સર્વ કર્યા છે. મારી આદત છે કે કોઈ પણ વિષય પર ગહન અને કૈક અલગ દ્રષ્ટિકોણ થી વિચારવું. એવું જ કંઈક જન્માક્ષર માં માનવું જોઈએ કે નહિ…એ વિષે મારા પોતાના વિચારો છે.  જે અહિં રજુ કર્યા છે.

દલીલ ૧

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

આપ શું વિચારો છો ? - વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ


*****************************
Wish you all merry christmas.

******************************



વેશ્યાવૃત્તિ ડામો કે મંજૂરી આપો: સુપ્રીમ - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai
દિ.ભા. Agency, New Delhi

સુપ્રીમકોર્ટનો કેન્દ્રને વેધક પ્રશ્ન: વેશ્યાવૃત્તિ કાયદાની મદદથી ડામી શકાતી ન હોય તો કાયદેસર કેમ નથી કરતા ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે દંડકીય પગલાંની મદદથી વેશ્યા વ્યવસાયને ડામી શકવો વ્યવહારુ રીતે સંભવ ના હોય તો તેને કાયદેસર મંજૂરી આપો.

સોમવાર, 14 ડિસેમ્બર, 2009

સુનીતા ક્રીષ્ણન



"મને જો ઈશ્વર સામે મળે તો

હું મારા ખુલ્લા હાથે તેનો ટોટો પીસી નાખું." -સુનીતા ક્રીષ્ણન 

આ શબ્દો છે એ     સ્ત્રીના જે ફક્ત 15 વર્ષની માસુમ વયે આઠ આઠ નરાધમોની હવસનો શિકાર થઇ હતી. હા, તેઓએ આ નિર્દોષ, નાજુક બાળકીને પીંખી નાખી હતી, તનથી અને મનથી ઘાયલ કરી હતી. તેના માન-સન્માનને ઠેસ પહોંચાડી હતી. વાત એટલેથી જ અટકી ન હતી, પછીના બે વર્ષ સુધી સમાજે તેને હડધૂત કરી, તેને બહિષ્કૃત કરી. સુનીતા કહે છે, "મને ત્યારે કે અત્યારે, શારીરિક અથવા માનસિક ઈજાનો અહેસાસ એટલો નહોતો થયો, પરન્તુ ત્યારથી આજ દિન સુધી અતિશય ઘૃણાસ્પદ પ્રકોપ મારા માહ્યલાને કોરી ખાય  છે."


બુધવાર, 2 ડિસેમ્બર, 2009

આપ શું વિચારો છો ?

સ્વિત્ઝર્લેન્ડમાં આશ્ચર્યજનક મતદાન મસ્જિદોના મિનારા   
ઉપર   પ્રતિબંધ


જિનીવા, તા.૩૦

સ્વિત્ઝર્લેન્ડના મતદારોએ દેશમાં મસ્જિદોના મિનારા પર પ્રતિબંધ લાવવા અંગેના બંધારણીય સુધારાની તરફેણમાં પ્રચંડ મતદાન કર્યું છે. તેના પરિણામે સ્વિત્ઝર્લેન્ડમાં મસ્જિદોમાં મિનારા બાંધવા પર રોક આવી જશે અને તે મુસ્લિમોની વધતી વસ્તી સામે પસ્તાળ પાડનારો મોખરાનો યુરોપિયન દેશ બની જશે.



મુસ્લિમ જૂથોએ વોટિંગને પક્ષપાતી, ઇસ્લામવિરોધી ગણાવી વખોડયું

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2009

2ND CTOBER,2009.

Exactly one year back this Blog was created. But there was no photograph. I went in search of my suitable snap and in the process lost the blog ! Queer? Foolish? Well, whatever you name it, it’s a fact.

Then, a lot of water flowed in the river Sabarmati (Ahmedabad, India) and in the river Whangnui (Auckland, NZ). Yes, one year passed. I shifted temporarily from Ahmedabad, India to Auckland New Zealand. From OVEN (40 Deg.C) to Deep fridge (4 DegC) !

Yesterday when I was surfing for some Gujarati Blog sites , suddenly I found my own Blog- VARTALAP !!! I was stunned.

It also happens to be 2nd October today. The birthday Of the great Mahatma Gandhi !

But I am upset.

Mr.Gandhi used “Strike” as weapon, or rather a tool against British reign and overthrew it.

Unfortunately, today, this same tool is misused. So far as the trade unions and political parties were misusing it for their short term goal it did not hurt me.

But when the teachers-GURUS of Art of Communication- used this tool, I was upset. Those who are aware of the Indian scenario will understand this. How can teachers of IIMs- Masters of art of Negotiations – can resort to Strike??!

Is this what they are going to teach future Managers ? Would Mr.M.K.Gandhi have approve it ?