લેબલ પરિચય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પરિચય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

છૂના હૈ આસમાન – 1 પંગુમ લંઘયતે ગિરિમ્

(આજ થી એક નવી લેખમાળા “છૂના હૈ આસમાન” શરૂ કરું છું. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આ ભડવીર કે વીરાંગના નો પરિચય કરીશું. )

નીક વુઈચીચ

સોમવાર, 14 ડિસેમ્બર, 2009

સુનીતા ક્રીષ્ણન



"મને જો ઈશ્વર સામે મળે તો

હું મારા ખુલ્લા હાથે તેનો ટોટો પીસી નાખું." -સુનીતા ક્રીષ્ણન 

આ શબ્દો છે એ     સ્ત્રીના જે ફક્ત 15 વર્ષની માસુમ વયે આઠ આઠ નરાધમોની હવસનો શિકાર થઇ હતી. હા, તેઓએ આ નિર્દોષ, નાજુક બાળકીને પીંખી નાખી હતી, તનથી અને મનથી ઘાયલ કરી હતી. તેના માન-સન્માનને ઠેસ પહોંચાડી હતી. વાત એટલેથી જ અટકી ન હતી, પછીના બે વર્ષ સુધી સમાજે તેને હડધૂત કરી, તેને બહિષ્કૃત કરી. સુનીતા કહે છે, "મને ત્યારે કે અત્યારે, શારીરિક અથવા માનસિક ઈજાનો અહેસાસ એટલો નહોતો થયો, પરન્તુ ત્યારથી આજ દિન સુધી અતિશય ઘૃણાસ્પદ પ્રકોપ મારા માહ્યલાને કોરી ખાય  છે."