લેબલ કામચોરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કામચોરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 29 એપ્રિલ, 2011

આપ શું વિચારો છો ? - 4

ભ્રષ્ટાચારનું મૂળ.

આજકાલ અણ્ણા સાહેબે ઊભા કરેલા ભ્રષ્ટાચાર સામેના ઝંઝાવાતે ઘણાને હચમચાવી દીધા છે, તો ઘણાને વિચાર કરતા કરી મૂક્યા છે. ભ્રષ્ટાચાર અનિષ્ટ છે, અનિચ્છનીય છે અસ્વીકાર્ય છે. છત્તાં સર્વવ્યાપી છે ! ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે કે જેણે જીવનમાં થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારનું આચરણ ન કર્યું હોય. કદાચ તમને આમાં અતિશયોક્તિ લાગે પણ કમનસીબે આ એક વાસ્તવિકતા છે. તો શું આપણે ભ્રષ્ટાચારને સ્વીકારી લેવો ? અણ્ણા સાહેબ અને તેને સાથ આપનારા લોકો પાગલ છે ? ના, ના અને ના. જે રીતે આ ચળવળને પ્રતિસાદ સાંપડ્યો છે તે પરથી આ બાબત તો ફલિત થાય છે.