શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014

આપ શું વિચારો છો -12 મત માટે કાંઇ પણ..

આગામી 2014ની ચુંટણી જેમ જેમ નજદિક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ સતા પુન: મેળવવા મરણિયો થતો જાય છે. કારણકે તેઓ જાણે છે કે અસીમ ભ્રષ્ટાચાર, મૌનીબાબાનું  કુશાસન દેશની કથળેલી આર્થિક સ્થિતિ તથા સાથી પક્ષોના તુષ્ટિકરણ વિ. કારણો થી મતદાતાઓ ધરાય ગયા છે. અને તેનાથી વિમુખ થઈ ગયા છે. આથી મત મેળવવા નવા નવા ગેર બંધારણીય ફતવાઓ કાઢ્યા કરે છે. ચાલો, જોઈએ એક -બે ઉદાહરણો:-  

શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014

ભજમનનાં ભોળકણાં-17 છપ્પો

દિલ્હીની જનતાના લોક જુવાળનો લાભ લઈને અરવિંદભાઈ "સૂંઠને ગાંગડે ગાંધી" તો બની ગયા. પણ રાજકારણ એટલે વીરોધ એવું જ માનતા  બીનઅનુભવી કેજરીવાલના શાસન કરતાં દાંત ખાટા થઈ ગયા! "અનુભવરહિત" શાસક સત્તા મળતાં છકી ગયા.  

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

મંગળાષ્ટક

રવિવાર, તા.19/01/2014ના રોજ મીઠાપુર ખાતે શ્રીયુત રાહુલભાઇ અને સૌ.પ્રવૃત્તિબેન બુચનાં સુપુત્રી 
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં  લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.   

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

અનુસંધાન

પાંચ મહિનાના લાંબા વેકેશન બાદ ફરી "વાર્તાલાપ" નું સંધાણ થાય છે. પુત્રના લગ્નની તૈયારી અને દોડધૂપમાં જાણે રચનાશક્તિ દબાઈ ગઈ હતી! આજથી અનુસંધાન પૂ.બાપુના નિર્વાણદિને શ્રદ્ધાંજલી રૂપે ચાર પંક્તિઓથી  શરૂ કરીએ.





ગાંધી કેરી આંધીએ અપાવ્યું સ્વરાજ

શમણૂં હતું આપીશું દેશને સુરાજ

શમણાં એનાં નંદવાયાં હત્યારા કાજ

“હે રામ!” બાપુએ ગોળી ખાધી આજ.

                                                                                    -ભજમન



શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શ્રાવણની વાદલડી

શ્રાવણની વાદલડી

શ્રાવણ મહિનાની ઝરમર વર્ષાએ કવિઓને હમેશાં ઉત્તેજિત કર્યા છે. પરદેશી પિયુની રાહ જોતી વિરહીણી પ્રિયતમાઓના દિલની વ્યથા કવિઓ શબ્દદેહે વ્યક્ત કરતા આવ્યા છે. જૂની ફિલ્મોનાં બે સુંદર ગીતો અહિં પ્રસ્તુત છે. એક ગીત હિંદી ફિલ્મ રતનનું છે. જે નીચે આપેલ છે. અને બીજું 1948ની ગુજરાતી ફિલ્મ સતી સોનનું છે તે માટે તમારે મારા પૃષ્ઠ 'સરગમ' પર જવું પડશે. 

શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

ભજમનનાં ભોળકણાં- 16 એક મુક્તક




અશ્ક વહે છે નિરંતર, થંભીને લૂછી નથી શકતી
શું ખારાશ એથી છે? અબ્ધિને પૂછી નથી શકતી.                  

જીવનમાં જન્મ છે, જીવનમાં જ મરણ છે
શું જીવનેતર જીવન છે? અબ્ધિને પૂછી નથી શકતી.

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

આપ શું વિચારો છો?-11 ફાઇલો ગાયબ કેમ થાય?

યુપીએ સરકારનો ભાંડો ફુટવાની શક્યતા જેનાથી હતી અને માનનીય વડા પ્રધાનશ્રીના પગ સુધી જેનો રેલો પહોંચે તેમ હતો તે કોલસા પરવાનગી કૌભાંડની લગભગ 257 જેટલી ફાઈલો મંત્રાલયમાંથી ગાયબ થઈ ગઈ! આ સમાચાર આપ સહુને સુવિદિત છે. તેથી વધુ પિષ્ટપેષણ નથી કરતો. આમાં કોને કોને ફાયદો થાય તેમ છે ક્યા કોર્પોરેટ ગૃહો સંડોવાયાં છે તે વિગત નીચે ટાઈમ્સ ઑવ ઈંડીયાની લિંક આપી છે તેનાથી જાણી શકાશે. મને તો આ પરથી એક જ વિચાર સ્ફૂરે છે જે છપ્પા રૂપે અહિં પ્રસ્તુત છે:- 

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-4, કીશન અને તેનો જાદુઈ રથ

પ્રોફેસર શ્રી અરવિન્દ ગુપ્તા ની રચનાઓનો પરિચય આપણે જ્ઞાન સાથે ગમ્મત શ્રેણીમાં કર્યો. આના પ્રતિભાવમાં શ્રી અરવિંદ ગુપ્તાસાહેબનો સંદેશો મને મળ્યો છે જે હું સાદર પ્રસ્તુત કરું છું. 

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

એડની દુનીયા - ગંદકી સારી !

એડની દુનીયા - ગંદકી સારી !  
બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ'માં ચતુરાઇ, માધુર્ય અને સામાજિક સંદેશ ભરી જાહેરાતો "મીઠે મેં ક્યા હૈ" લેખમાં જોઇ હતી. જાહેરાતનું ક્ષેત્ર અનોખું છે. તેના જેવું ભાગ્યે જ કોઇ અન્ય ક્ષેત્ર પડકારરૂપ, સ્પર્ધાત્મક અને સર્જનાત્મક હશે. આજે એવી અન્ય થોડી જાહેરાતનો સ્વાદ માણીએં.   

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-3 પ્રોફે. અરવિંદ ગુપ્તા

ગત બે શુક્રવારથી વાર્તાલાપમાં આપણે જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં રદ્દીમાંથી શૈક્ષણિક રમકડાં  કેમ બનાવી શકાય તેનાં ઉદાહરણ જોયાં. આવી અસંખ્ય-700થી અધિક-રચનાત્મક પ્રક્રિયાના વિશ્વકર્માને આજે આપણે ઓળખીએં. આ અદ્ ભૂત વૈજ્ઞાનિક ઈજનેર છે પ્રોફેસર અરવિંદ ગુપ્તા.