શુક્રવાર, 27 એપ્રિલ, 2012

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?

ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.

કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?

શુક્રવાર, 13 એપ્રિલ, 2012

આત્માનો વિલાપ

(આપણે વાલિયા લુંટારાની વાત વર્ષોથી-સદીઓથી સાંભળતા આવ્યા છીએં. જેમાં એક ખૂંખાર લૂંટારાનો હૃદયપલટો થાય છે. આધુનિક યુગમાં આ વાત અસંભવ લાગે. પરંતુ આ સદીમાં જ એક પરદેશી અપરાધી ભારતીય પરિવારની પારંપારિક સત્કાર ભાવના અને સહૃદયતાની સુવાસથી સંત તો નહિ પણ સજ્જન જરૂર બની શક્યો.

થોડા સમય પહેલાં મશહૂર એંકર ઑપેરાહ વિન્ફ્રે જોડે ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ ભારત આવેલ. ગ્રેગરી ડેવીડે આત્મવૃતાંત્મક અંગ્રેજી મહાનવલકથા “શાંતારામ” લખી છે. અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતા હોવ તો આ પુસ્તક જરૂર વાંચશો.  આ વાર્તાનો એક નાનકડો પરિચ્છેદ મને ખૂબ ગમ્યો. આ નાનકડા પ્રસંગથી ઓસ્ટ્રેલિયાની જેલ તોડીને ભાગેલા અને મુમ્બઇ આવી પહોંચેલા એક રીઢા ગુનેગારના દિલમાં ભારતીય પરંપરા અને આતિથ્ય ભાવનાથી માનવતાનાં અંકુર  રોપાય છે! એક અપરાધીની જીંદગીને ભારતીયતાનો રંગ કેવી રીતે પલટાવે છે! તેનું તાદૃશ વર્ણન આ પ્રસંગમાં છે. મને થયું, આપ સહુ જોડે (તેનો અનુવાદ) શેર કરૂં. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર આ અનુવાદ કરવાની અને લેખ "વાર્તાલાપ" પર exclusively પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સના એજંટ રીગલ લીટરરી નો આભાર!) 

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

દાદ તો આપે



(એકવાર ભીની આંખો એ દિલ ને ફરિયાદ કરી કે "આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"
દિલે હસતાં હસતાં જવાબ આપ્યો,” સપનાં કોણે જોયાં હતાં?” ) પછી આંખો એ શું કહ્યું........? 

શુક્રવાર, 30 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં-12 છપ્પા

છપ્પા

(વર્તમાન પત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ લોકાયુક્તના સ્પેશીયલ પોલીસ સંસ્થાન (SPE) અને  આર્થિક અપરાધ શાખા (EOW) ના વિષેશ ગુપ્તચરોએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. 426.60 કરોડ ની ગેરકાયદેસર ધારણ કરેલી મિલકતો શોધી કાઢી.)   

શુક્રવાર, 23 માર્ચ, 2012

છૂના હૈ આસમાન - 4, અનિતા નૈરે


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય આદિવાસી યુવતી અનિતા નૈરે ના દ્રઢ મનોબળને નમન કરશું!

શુક્રવાર, 9 માર્ચ, 2012

આપ શું વિચારો છો? - 5 પૈસો શું કરી શકે છે?

("આપ શું વિચારો છો?"  શ્રેણીમાં સામ્પ્રત સમાજના સળગતા પ્રશ્નોની છણાવટ કરીએ છીએ. આવી જ એક સળગતી પરિસ્થિતિ વિષે મારા મનમાં ચાલતા ઉકળાટને શ્રી શિરીષભાઇ દવેએ એક મનનીય લેખમાં  શબ્દદેહ આપ્યો છે જે ટુંકાવીને તેમની પરવાનગી સાથે સાભાર અહિં પ્રસ્તુત છે.


ગોધરા હત્યા-કાંડને  એક દશકો વીતી ગયો. પરંતુ હજુ તેનાં ડાકલાં વાગતાં બંધ નથી થતાં. હિંદુ, મુસ્લિમ કે કોઇ પણ મનુષ્યોની ધર્મના ઝનૂન હેઠળની કત્લેઆમ નીંદનીય જ છે. અને નિર્દોષ માનવોની જાનહાની દુ:ખદાયક છે. પરંતુ એ લાશો પર પોતાનો પાપડ શેકવાની રીત તો જઘન્ય અપરાધ છે.કમનસીબે કોંગ્રેસ પક્ષ અને તેના મળતિયા અને પુરસ્કૃત સંગઠનો આજે આ કામગીરીમાં આદુ ખાઇને પડ્યા છે.-ભજમન.) 

શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

જ્યોતસે જ્યોત જલે!

પણા  રોજબરોજના જીવનમાં રોજીંદી દિનચર્યામાં આપણે જે કોઇ પ્રવૃતિ કરીએ છીએ તેનું અવલોકન કરશો તો ધ્યાનમાં આવશે કે મોટાભાગે બધી જ ક્રિયા આપણે આપણા પોતા માટે કરીએ છીએ. બીજાને માટે આપણી પાસે ભાગ્યે જ સમય છે. યુ-ટ્યુબ પરની આ ચિત્રમાલા જોઇને કદાચ તમને પણ મન થઇ જાય!