શુક્રવાર, 21 માર્ચ, 2014

શ્વેત પરછાંઈ

વાર્તાલાપ માં આજે એક અતિથિ રચના. અગાઉ આપ કવિ શ્રી ડો.કનક રાવળની એક રચના 'નાતાલ સાંજે-છેવટે તો શિયાળોને? ' માણી ચુક્યા છો. આજે તેઓશ્રીએ અંગ્રેજીમાં રચેલી અને જાતે જ કરેલ ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. આ રચના અગાઉ "લયસ્તરો"  પર પણ પ્રકાશિત થઈ ચૂકી છે. લયસ્તરો પર પારિજાતનાં ફૂલ વિષે સવિસ્તર જણાવેલ છે. આ રચના ને 'વાર્તાલાપ' માટે મોકલવા બદલ કનકભાઈનો સહ્રદય આભાર માનું છું. 

શુક્રવાર, 14 માર્ચ, 2014

ભજમનનાં ભોળકણાં-19 છપ્પો

ચુંટણીનાં નગારાં વાગી રહયાં છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા જાતજાતનાં ડીંડક અને અવનવા  નુસખા અજમાવી રહ્યા છે. આ વાતાવરણમાં મતદારની શું હાલત છે?   

શુક્રવાર, 7 માર્ચ, 2014

દવાથી વિશેષ કાંઇક!


'વાર્તાલાપ' ની 50મી પોસ્ટમાં આપણે   'મીઠે મેં ક્યા હૈ'  લેખમાં કેટલીક હ્રદય્સ્પર્શી વિજ્ઞાપન જોઈ હતી. આજે એવી જ એક દિલને હલાવી દે તેવી ફાયઝર ફાર્મસ્યુટિકલની વિજ્ઞાપન નો સ્વાદ માણીએ. દવા બનાવતી કમ્પનીને દર્દીની લાગણીની કેટલી કદર છે તેનો આ એડ પરથી ખ્યાલ આવે છે. ધ્યાનથી જોશો તો  તમને આ ક્લિપ જરૂર સ્પર્શી જશે.