ગુરુવાર, 30 જાન્યુઆરી, 2014

અનુસંધાન

પાંચ મહિનાના લાંબા વેકેશન બાદ ફરી "વાર્તાલાપ" નું સંધાણ થાય છે. પુત્રના લગ્નની તૈયારી અને દોડધૂપમાં જાણે રચનાશક્તિ દબાઈ ગઈ હતી! આજથી અનુસંધાન પૂ.બાપુના નિર્વાણદિને શ્રદ્ધાંજલી રૂપે ચાર પંક્તિઓથી  શરૂ કરીએ.





ગાંધી કેરી આંધીએ અપાવ્યું સ્વરાજ

શમણૂં હતું આપીશું દેશને સુરાજ

શમણાં એનાં નંદવાયાં હત્યારા કાજ

“હે રામ!” બાપુએ ગોળી ખાધી આજ.

                                                                                    -ભજમન



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો