શુક્રવાર, 30 ઑગસ્ટ, 2013

ભજમનનાં ભોળકણાં- 16 એક મુક્તક




અશ્ક વહે છે નિરંતર, થંભીને લૂછી નથી શકતી
શું ખારાશ એથી છે? અબ્ધિને પૂછી નથી શકતી.                  

જીવનમાં જન્મ છે, જીવનમાં જ મરણ છે
શું જીવનેતર જીવન છે? અબ્ધિને પૂછી નથી શકતી.

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

આપ શું વિચારો છો?-11 ફાઇલો ગાયબ કેમ થાય?

યુપીએ સરકારનો ભાંડો ફુટવાની શક્યતા જેનાથી હતી અને માનનીય વડા પ્રધાનશ્રીના પગ સુધી જેનો રેલો પહોંચે તેમ હતો તે કોલસા પરવાનગી કૌભાંડની લગભગ 257 જેટલી ફાઈલો મંત્રાલયમાંથી ગાયબ થઈ ગઈ! આ સમાચાર આપ સહુને સુવિદિત છે. તેથી વધુ પિષ્ટપેષણ નથી કરતો. આમાં કોને કોને ફાયદો થાય તેમ છે ક્યા કોર્પોરેટ ગૃહો સંડોવાયાં છે તે વિગત નીચે ટાઈમ્સ ઑવ ઈંડીયાની લિંક આપી છે તેનાથી જાણી શકાશે. મને તો આ પરથી એક જ વિચાર સ્ફૂરે છે જે છપ્પા રૂપે અહિં પ્રસ્તુત છે:- 

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-4, કીશન અને તેનો જાદુઈ રથ

પ્રોફેસર શ્રી અરવિન્દ ગુપ્તા ની રચનાઓનો પરિચય આપણે જ્ઞાન સાથે ગમ્મત શ્રેણીમાં કર્યો. આના પ્રતિભાવમાં શ્રી અરવિંદ ગુપ્તાસાહેબનો સંદેશો મને મળ્યો છે જે હું સાદર પ્રસ્તુત કરું છું. 

શુક્રવાર, 9 ઑગસ્ટ, 2013

એડની દુનીયા - ગંદકી સારી !

એડની દુનીયા - ગંદકી સારી !  
બે-એક વર્ષ પહેલાં 'વાર્તાલાપ'માં ચતુરાઇ, માધુર્ય અને સામાજિક સંદેશ ભરી જાહેરાતો "મીઠે મેં ક્યા હૈ" લેખમાં જોઇ હતી. જાહેરાતનું ક્ષેત્ર અનોખું છે. તેના જેવું ભાગ્યે જ કોઇ અન્ય ક્ષેત્ર પડકારરૂપ, સ્પર્ધાત્મક અને સર્જનાત્મક હશે. આજે એવી અન્ય થોડી જાહેરાતનો સ્વાદ માણીએં.   

શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-3 પ્રોફે. અરવિંદ ગુપ્તા

ગત બે શુક્રવારથી વાર્તાલાપમાં આપણે જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં રદ્દીમાંથી શૈક્ષણિક રમકડાં  કેમ બનાવી શકાય તેનાં ઉદાહરણ જોયાં. આવી અસંખ્ય-700થી અધિક-રચનાત્મક પ્રક્રિયાના વિશ્વકર્માને આજે આપણે ઓળખીએં. આ અદ્ ભૂત વૈજ્ઞાનિક ઈજનેર છે પ્રોફેસર અરવિંદ ગુપ્તા.