મંગળવાર, 13 નવેમ્બર, 2012

New year Greeting 2012

13/11/2012
Dear All, 

नव वर्ष अभिनंदन-
नव वर्ष अभिनंदन स्वस्थ रहे तन पुलकित हो मन
छूटें सब रूढ़ियों के बंधन
खिलें फूल घर आँगन
                 महकता रहे वर्ष भर जीवन…………
      Wishing you & your family a very happy NewYear-…

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

ડાંગે માર્યાં પાણી..-1


(Today's post is a story in two parts. Part 2 will be published on 7/9/2012.
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતીતી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રેવાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને?  ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હાળું ઘર તો જોવુંતું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”
“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવાતા એ જ વાત સે ને?”)


શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

પ્રથમ પ્રેમનો બેકરાર

( છેલ્લા ત્રણ સપ્તાહથી 'વાર્તાલાપ' માં કવિતાનો પ્રવાહ વહી રહ્યો છે. અને એ પણ ગંભીર કવિતાઓ. મારી નોંધપોથીમાંથી એક જૂનો લેખ હાથ આવ્યો છે. જેને જરા અપડેટ કરીને અહિં મૂક્યો છે.  આવો, આજે જરા હળવા થઇએ અને મનને ફુલગુલાબી કરી દઇએં.) 

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

તન હીંડોળે, મન ચકડોળે

(એક જણ પોતાની માનું કાળજું કાઢીને પ્રેમિકાને આપવા લઇ જતો હતો. અચાનક તેને ઠોકર વાગી અને કાળજું બોલી ઊઠ્યું,'ખમ્મા! મારા દિકરા!"  આવી મા ઘરડાઘરમાં બેઠી બેઠી શું વિચારતી હશે? )

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

તવ સ્મરણ



(આજે જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર છે. શ્રી કૃષ્ણનો જન્મદિન. કૃષ્ણ એટલે પ્રેમભક્તિનું પ્રતિક. આજે એક બહુ જ સુંદર ગઝલ યાદ આવી, 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કૈંક આવી જ અનુભૂતિ મને થઇ છે જે અહિં શબ્દદેહે ઉતારી છે. આશા છે ગમશે.) 







શુક્રવાર, 3 ઑગસ્ટ, 2012

આમચી મુંબઈ! આમી ઇકડે આલે!

( હવે આ મહિનાથી અમારો નિવાસ મુમ્બઇ, મહારાષ્ટ્ર ખાતે. આ એ શહેર છે જેણે મને પહેલી નોકરી આપી, અને જિંદગી ની સાથીદાર છોકરી પણ આપી! કહેવાય છે કે જે મુમ્બઇમાં એક વખત પ્રવેશે તે કાયમ માટે તેનો પ્રેમી બની જાય છે. મુમ્બઇની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં મુમ્બઇ મોહમયી કહેવાય છે.)

શુક્રવાર, 27 જુલાઈ, 2012

GOOD BYE, BHOPAL!

(મારા પુત્ર માનસની નોકરીનું સ્થળ અને સંસ્થા બદલાતાં હવે ભોપાલની વિદાય લઉં છું. ઑગસ્ટથી મુમ્બઈમાં કાયમી નિવાસ સ્થાપિત થશે. જતાં પહેલાં ભોપાલનાં સંસ્મરણો સાથે લઈ જઉં છું.)

શુક્રવાર, 20 જુલાઈ, 2012

મને તારી યાદ નથી આવતી.

(આ દિલ બહુ નટખટ છે. દિમાગનો તો તેની પાસે કોઇ હિસાબ જ નથી! પ્રિયપાત્રનો વિયોગ સરળતાથી સહન કરવા માટે મક્કમતા દાખવે પરંતુ નાદાન દિલ કાંઇ જૂદો જ સૂર કાઢે છે! 

બુધવાર, 18 જુલાઈ, 2012

"કાકા" કદી નહિ ભૂલાય!



સ્વ.રાજેશ ખન્ના ને શ્રદ્ધાંજલિ!



અચ્છે લોગોંકી ભગવાનકો ભી ઉતની હી જરૂરત હૈ, જીતની હમેં....

શુક્રવાર, 6 જુલાઈ, 2012

સમર્પણ

(આજે એક અતિથિ રચના. વલ્લભ વિદ્યાનગરના ડૉ. વિપુલ દેસાઇ M.Sc., Ph.D. છે અને હાલ નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્તિનાં છેલ્લાં દસ વર્ષથી વધારે સમય પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, મેનેજમેંટ એસોસીએશન, યુનિવર્સિટી સાથે  તરીકે સંલગ્ન રહ્યા છે. સાથે સાહિત્ય-પ્રેમી અને પુસ્તક પ્રેમી પણ છે. તેમનો એક કાવ્ય સંગ્રહ “મૌન” પણ પ્રગટ થયો છે. વલ્લભ વિદ્યાનગરમાં વાચનના જિજ્ઞાસુઓ માટે ચાલતી સદુપયોગી સંસ્થા પુસ્તક-પ્રેમી પરિવાર સાથે તેઓ સંકળાયેલા છે. આ સંસ્થાના નેજા નીચે પ્રકાશિત આ પુસ્તકમાંથી એક પ્રકરણ અહિં સાભાર પ્રસ્તુત છે. ડૉ. દેસાઇનો સંપર્ક 0265-2353026) 

શુક્રવાર, 29 જૂન, 2012

આપ શું વિચારો છો? - 8 કરે કોઈ, ભરે કોઈ

ભારતમાં હાલમાં બધાં માધ્યમો અને પક્ષો તેમજ અગ્રણી રાજકીય સમાલોચકો રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદ-નાપસંદના ચક્કરમાં ડૂબ્યા હતા ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની, જેનાં દૂરગામી પરિણામના છાંટા આપણા દેશને પણ ઊડી શકે તેમ છે; તેની ખાસ નોંધ લેવાઈ નથી.

શુક્રવાર, 22 જૂન, 2012

ભોળકણાં - 14 મુક્તક


બધી ચાદર મેલી મારી, ઓઢું કઈ ચાદર?
ભ્રષ્ટાચારી નેતા સઘળા, આપું કોને આદર?
નિર્વાચનનો ફોકટ ફેરો, ભણે ભજમન સાદર.

શુક્રવાર, 15 જૂન, 2012

ભજમનનાં ભોળકણાં-13 પગરણ

(જાણીતા કવિ શ્રી ડૉ.મુકુલ ચોકસીનું એક બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય મુક્તક  ટહુકો.કોમ અને અન્ય વેબસાઇટ પર પ્રસિધ્ધ થયું છે. 

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ જણા સુખી થયાનો છે,
પલ્લું તારી તરફ નમ્યાનો તને
મુજને આનંદ ઊંચે ગયાનો છે...

શુક્રવાર, 8 જૂન, 2012

આપ શું વિચારો છો? - 7 આ તે કેવો ચૂકાદો?

આ તે કેવો ચૂકાદો?

એક મુસ્લીમ કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી 15 વર્ષની વયે પોતાનો જીવનસાથી પસંદ કરવા સક્ષમ છે તેટલું જ નહિ તે લગ્ન પણ કરી શકે છે.(-દિલ્હી ઉચ્ચ ન્યાયાલય) પરંતુ એક હિંદુ, ખ્રિસ્તી,પારસી કે અન્ય ધર્મની કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી પણ 18 વર્ષ સુધી લગ્ન ન કરી શકે! અર્થાત આ કન્યાઓ પોતાનો જીવન સાથી જાતે પસંદ કરી શકે તેટલી સક્ષમ નથી. આવું તારણ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આ ચૂકાદા પરથી કાઢી શકાય.

શુક્રવાર, 1 જૂન, 2012

ખારવા વિના મારે ખૂંદવા છે દરિયા....


(ગત શુક્રવારે 'છૂના હે આસમાન-6 પંગુમ્ લંઘયતે ઉદધિમ્' શ્રેણીમાં આપણે અવયવ રહિત તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોનનો પરિચય કર્યો. આ તરવૈયાની એક સુંદર તસવીર માધ્યમોમાં પ્રકાશિત થઇ છે. આ તસવીર પરથી મને મુર્ધન્ય કવિ સ્વ.શ્રી ઉમાશંકર જોષીનું ગીત “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા” યાદ આવ્યું. પણ અવયવ વિનાનો આ મર્દ તો દરિયો ખેડવા નીકળ્યો છે! આથી કવિવર જોષીના ગીતનો આધાર લઇ મેં મારી કલ્પનાના રંગે ક્રોઇઝોનનું વિશ્વતરણ આલેખ્યું છે.)

શુક્રવાર, 25 મે, 2012

છૂના હૈ આસમાન - 6 “પંગુમ લંઘયતે ઉદધિમ્ ”


( લેખમાળા છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્ (09/04/2009)માં આપણે  નીક વુઇચીચ   નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં શ્રી કુમારપાળ દેસાઇએ   ઈંટ અને ઈમારત  શ્રેણીમાં પણ આના વિષે લેખ મુક્યો હતો.  મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું.  જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક  ભડવીર  ફ્રેંચ તરવૈયા  ફિલિપ્પે ક્રોઇઝોન નો પરિચય કરીશું. ) 

શનિવાર, 19 મે, 2012

નિરર્થક કાગારોળ


નિરર્થક કાગારોળ

સુર્યથી પૃથ્વીનું જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ નાગરિકને વિચારતો કરી મૂકે.

શુક્રવાર, 11 મે, 2012

છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ

જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.

(ભારત દેશમાં નારી શક્તિના અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે  વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)

શુક્રવાર, 4 મે, 2012

પડછાયાની કરામત!

બાળપણમાં ફાનસના અજવાળે હાથની જુદી જુદી મુદ્રાઓથી ભીંત પર કૂતરો, ઊડતું પક્ષી વિ.ના    આકારના પડછાયા પાડતા. મને ખાત્રી છે કે તમે સહુ આ રમત રમ્યા હશો.

શુક્રવાર, 27 એપ્રિલ, 2012

શુક્રવાર, 20 એપ્રિલ, 2012

આપ શું વિચારો છો? - 6 નોકરિયાત સ્ત્રીઓ સુખી છે?

ભારતમાં નોકરિયાત મહિલાઓની મુશ્કેલીઓ.

કારમી મોંઘવારીના આ કાળમાં સામાન્ય પરિવાર માટે બે છેડા ભેગા કરવાનું અતિ મુશ્કેલ બન્યું છે. પતિ-પત્ની બંનેને નોકરી કરવી પડે તેવી અનિવાર્ય પરિસ્થિતિ પ્રવર્તે છે. તો એમાં પ્રોબ્લેમ શું છે? જગતમાં ઘણા દેશોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે! ભારતની મહિલાઓ કઇ નવી નવાઇ કરે છે?

શુક્રવાર, 13 એપ્રિલ, 2012

આત્માનો વિલાપ

(આપણે વાલિયા લુંટારાની વાત વર્ષોથી-સદીઓથી સાંભળતા આવ્યા છીએં. જેમાં એક ખૂંખાર લૂંટારાનો હૃદયપલટો થાય છે. આધુનિક યુગમાં આ વાત અસંભવ લાગે. પરંતુ આ સદીમાં જ એક પરદેશી અપરાધી ભારતીય પરિવારની પારંપારિક સત્કાર ભાવના અને સહૃદયતાની સુવાસથી સંત તો નહિ પણ સજ્જન જરૂર બની શક્યો.

થોડા સમય પહેલાં મશહૂર એંકર ઑપેરાહ વિન્ફ્રે જોડે ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સ ભારત આવેલ. ગ્રેગરી ડેવીડે આત્મવૃતાંત્મક અંગ્રેજી મહાનવલકથા “શાંતારામ” લખી છે. અંગ્રેજી સાહિત્ય વાંચવાનો શોખ ધરાવતા હોવ તો આ પુસ્તક જરૂર વાંચશો.  આ વાર્તાનો એક નાનકડો પરિચ્છેદ મને ખૂબ ગમ્યો. આ નાનકડા પ્રસંગથી ઓસ્ટ્રેલિયાની જેલ તોડીને ભાગેલા અને મુમ્બઇ આવી પહોંચેલા એક રીઢા ગુનેગારના દિલમાં ભારતીય પરંપરા અને આતિથ્ય ભાવનાથી માનવતાનાં અંકુર  રોપાય છે! એક અપરાધીની જીંદગીને ભારતીયતાનો રંગ કેવી રીતે પલટાવે છે! તેનું તાદૃશ વર્ણન આ પ્રસંગમાં છે. મને થયું, આપ સહુ જોડે (તેનો અનુવાદ) શેર કરૂં. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર આ અનુવાદ કરવાની અને લેખ "વાર્તાલાપ" પર exclusively પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ ગ્રેગરી ડેવીડ રોબર્ટ્સના એજંટ રીગલ લીટરરી નો આભાર!) 

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

દાદ તો આપે



(એકવાર ભીની આંખો એ દિલ ને ફરિયાદ કરી કે "આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"
દિલે હસતાં હસતાં જવાબ આપ્યો,” સપનાં કોણે જોયાં હતાં?” ) પછી આંખો એ શું કહ્યું........? 

શુક્રવાર, 30 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં-12 છપ્પા

છપ્પા

(વર્તમાન પત્રોના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ લોકાયુક્તના સ્પેશીયલ પોલીસ સંસ્થાન (SPE) અને  આર્થિક અપરાધ શાખા (EOW) ના વિષેશ ગુપ્તચરોએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. 426.60 કરોડ ની ગેરકાયદેસર ધારણ કરેલી મિલકતો શોધી કાઢી.)   

શુક્રવાર, 23 માર્ચ, 2012

છૂના હૈ આસમાન - 4, અનિતા નૈરે


'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવી એક હિંમતવાન ભારતીય આદિવાસી યુવતી અનિતા નૈરે ના દ્રઢ મનોબળને નમન કરશું!

શુક્રવાર, 9 માર્ચ, 2012

આપ શું વિચારો છો? - 5 પૈસો શું કરી શકે છે?

("આપ શું વિચારો છો?"  શ્રેણીમાં સામ્પ્રત સમાજના સળગતા પ્રશ્નોની છણાવટ કરીએ છીએ. આવી જ એક સળગતી પરિસ્થિતિ વિષે મારા મનમાં ચાલતા ઉકળાટને શ્રી શિરીષભાઇ દવેએ એક મનનીય લેખમાં  શબ્દદેહ આપ્યો છે જે ટુંકાવીને તેમની પરવાનગી સાથે સાભાર અહિં પ્રસ્તુત છે.


ગોધરા હત્યા-કાંડને  એક દશકો વીતી ગયો. પરંતુ હજુ તેનાં ડાકલાં વાગતાં બંધ નથી થતાં. હિંદુ, મુસ્લિમ કે કોઇ પણ મનુષ્યોની ધર્મના ઝનૂન હેઠળની કત્લેઆમ નીંદનીય જ છે. અને નિર્દોષ માનવોની જાનહાની દુ:ખદાયક છે. પરંતુ એ લાશો પર પોતાનો પાપડ શેકવાની રીત તો જઘન્ય અપરાધ છે.કમનસીબે કોંગ્રેસ પક્ષ અને તેના મળતિયા અને પુરસ્કૃત સંગઠનો આજે આ કામગીરીમાં આદુ ખાઇને પડ્યા છે.-ભજમન.) 

શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

જ્યોતસે જ્યોત જલે!

પણા  રોજબરોજના જીવનમાં રોજીંદી દિનચર્યામાં આપણે જે કોઇ પ્રવૃતિ કરીએ છીએ તેનું અવલોકન કરશો તો ધ્યાનમાં આવશે કે મોટાભાગે બધી જ ક્રિયા આપણે આપણા પોતા માટે કરીએ છીએ. બીજાને માટે આપણી પાસે ભાગ્યે જ સમય છે. યુ-ટ્યુબ પરની આ ચિત્રમાલા જોઇને કદાચ તમને પણ મન થઇ જાય!  

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

પત્ની એટલે પગરખું??

                                                                                                                                    -ભજમન   

આ હાસ્યલેખકો એમના મનમાં શું સમજતા હશે? મને આ પ્રશ્ન કાયમ સતાવતો હોય છે. હું કોઇ લેખિકા નથી કે નથી મારા “એ” કોઇ હાસ્યલેખક, પરંતુ હું જ્યારે જ્યારે કોઇ હાસ્યલેખ કે હળવો કટાક્ષ
લેખ અથવા હાસ્યલેખનું પુસ્તક વાંચું છું તો એક વાત ઊડીને આંખે વળગે તેવી સ્પષ્ટ થાય છે કે હાસ્ય
લેખકની પત્ની કદી ન બનવું. આ વાત ફક્ત હાસ્ય લેખકોને જ નહીં પરંતુ મંચ પર ઊભા રહીને હાસ્ય
કાર્યક્રમ આપતા હાસ્ય કલાકારો કે મિમિક્રી આર્ટીસ્ટ અને ટીવી પર આવતા રીયાલીટી શૉમાં ટુચકા કે જૉક્સ સંભળાવતા કલાકારોને પણ એટલી જ લાગુ પડે છે. તમે મારો ઈશારો તો સમજી જ ગયા હશો કે હું કઇ બાબતનો નિર્દેશ કરવા માગું છું.

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

છૂના હૈ આસમાન - 3, HATS OFF TO YUVRAJSINGH !


( ઘણા લાંબા ગાળાના વિયોગ પછી પુન: વેબની દુનિયામાં સક્રિય થતાં આનંદ અનુભવું છું. મારી ગેરાહાજરીમાં પણ અનેક મિત્રોએ "વાર્તાલાપ" ની મુલાકાત લીધી છે તેની હું સહર્ષ નોંધ લઉં છું  અને તેઓ સર્વેનો અંત:કરણથી  આભાર માનું છું. આશા છે આમ જ આપ સર્વેની પ્રેમવર્ષા થતી રહેશે. )